Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 4:41 - પવિત્ર બાઇબલ C.L.

41 પણ તેઓ ભયથી ચોંકી ઊઠયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે! પવન અને સરોવરનાં મોજાં પણ તેમને આધીન થાય છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને તેઓ બહુ બીધા, તથા અંદરોઅંદર બોલ્યા, “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 4:41
17 Iomraidhean Croise  

મેં તેને આજ્ઞા આપી, ‘તું અહીં સુધી જ આવી શકે, એથી આગળ નહિ; તારાં પ્રચંડ મોજાં અહીં જ અટકી જવાં જોઈએ.’


સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


“મેં મારા કરારમાં તેમને જીવન અને સુખાકારીનું વચન આપ્યું, એ માટે કે તેઓ મારું સન્માન કરે. એ દિવસોમાં તો તેઓ મારો ડર રાખતા હતા અને મારું સન્માન કરતા હતા.


તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો.


બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે, પવન અને મોજાં પણ તેમની આજ્ઞા માને છે!


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?”


તેઓ ગાલીલ સરોવરને સામે કિનારે ગેરાસીનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા.


પોતાને જે થયું હતું તે બધું તે સ્ત્રી જાણતી હતી. તેથી તે બીકથી ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમને પગે પડી, અને તેણે તેમને બધી હકીક્ત કહી.


જેમણે સાંભળ્યું તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે! તે તો બહેરાંને સાંભળતાં અને મૂંગાંને બોલતાં કરે છે!”


તેઓ સૌ અચંબો પામી ગયા, અને એકબીજાને કહેવા લાગ્યા, “આ તે કેવા પ્રકારના શબ્દો! અધિકાર અને પરાક્રમથી તે દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ બહાર પણ નીકળે છે!”


પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ કયાં છે?” પણ તે આશ્ર્વર્ય પામ્યા અને ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે? તે પવન તથા પાણીનાં મોજાંને હુકમ કરે છે, અને તેઓ તેમને આધીન પણ થાય છે!”


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan