Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 ઈસુએ જવાબ આપ્યો, “લગ્નજમણમાં આવેલા મહેમાનો ઉપવાસ કરે ખરા? ના, કદી જ નહી. જ્યાં સુધી તેમની સાથે વરરાજા છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 2:19
8 Iomraidhean Croise  

તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું.


તેને જરીબુટ્ટીવાળાં વસ્ત્રોમાં રાજાની પાસે લઈ જવાય છે; તેની પાછળ પાછળ તેની કુમારી સહેલીઓ જાય છે.


રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય,


ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.


એકવાર બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા, ત્યારે કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછયું, “બાપ્તિસ્મા કરનાર યોહાનના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી તેનું શું કારણ?


પણ એવો સમય આવશે કે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવામાં આવશે; અને તે સમયે તેઓ ઉપવાસ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan