Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને અરણ્યમાં ચાળીસ દિવસ સુધી તે રહ્યા, ને શેતાનથી તેમનું પરીક્ષણ થયું; અને જંગલી પશુઓની સાથે તે હતા; અને દૂતોએ તેમની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 1:13
13 Iomraidhean Croise  

મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી.


શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે?


ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે.


ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો.


ચાલીસ દિવસ અને ચાલીસ રાત વીત્યા પછી પ્રભુએ મને એ બે શિલાપાટીઓ એટલે કરારની પાટીઓ આપી હતી.


પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું.


“તેથી પ્રભુ તમારો નાશ કરવાના હતા ત્યારે અગાઉની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પ્રભુના સાંનિધ્યમાં ભૂમિ પર નતમસ્તકે પડી રહ્યો.”


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan