Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 9:15
22 Iomraidhean Croise  

તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ કરતા જ નથી. એવું કેમ?


જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે.


ઈસુએ જવાબ આપ્યો, “લગ્નજમણમાં આવેલા મહેમાનો ઉપવાસ કરે ખરા? ના, કદી જ નહી. જ્યાં સુધી તેમની સાથે વરરાજા છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ નહિ કરે.


પણ એવો સમય આવશે કે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવામાં આવશે; અને તે સમયે તેઓ ઉપવાસ કરશે.


પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ!


ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા?


ના, કદી નહિ! પણ એવો સમય આવશે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.”


પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે.


જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે.


પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.


તેથી તમે એકબીજાને એ અધિકારથી વંચિત રાખશો નહિ. પ્રાર્થનામાં સમય ગાળવા એકબીજાની સંમતિથી અલગ રહો. પણ તે પછી, તમારી વાસનાને લીધે શેતાન તમને પ્રલોભનમાં ન નાખે માટે તમારું દંપતી તરીકેનું સાહજિક જીવન જીવો.


મેં મહેનત મજૂરી કરી છે, ઘણીવાર ઉજાગરા વેઠયા છે, હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું, ઘણીવાર પૂરતો ખોરાક, આશરો કે કપડાં મળ્યાં નથી.


પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.”


અને મેં પવિત્ર નગર, એટલે નવા યરુશાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું જોયું. વરને મળવા શણગારીને સજાવેલી કન્યાની જેમ તે તૈયાર અને સજ્જ કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan