Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેમના વર્તનરૂપી ફળ પરથી તમે તેમને ઓળખી શકશો. કાંટાના વૃક્ષને દ્રાક્ષ લાગતી નથી, અને થોર પર અંજીર પાક્તાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષા, અથવા ઊંટકટા પરથી અંજીર તોડે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 7:16
10 Iomraidhean Croise  

બાળક તેના આચરણ પરથી ઓળખાઈ આવે છે કે, તેનાં કામ શુદ્ધ અને પ્રામાણિક છે કે નહિ.


સારું ફળ મેળવવા માટે વૃક્ષ સારું હોવું જોઈએ. જો વૃક્ષ ખરાબ હોય તો તેનું ફળ ખરાબ આવશે. કારણ, ફળની જાત પરથી વૃક્ષ કેવું છે તેની ખબર પડે છે.


આમ, તમે જુઠ્ઠા સંદેશવાહકોને તેમના વર્તન પરથી ઓળખી શકશો.


પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.”


મારા ભાઈઓ, અંજીરના વૃક્ષને ઓલિવનું ફળ આવે? અને દ્રાક્ષવેલાને કદી અંજીર બેસે? તે જ રીતે ખારા પાણીનો ઝરો મીઠું પાણી આપી શક્તો નથી.


પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan