Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ યોહાને તેમને રોકવાનો યત્ન કર્યો અને કહ્યું, મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવું જોઈએ; તો પછી તમે મારી પાસે કેમ આવો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 3:14
16 Iomraidhean Croise  

આ સમયે ઈસુ ગાલીલના દેશથી યર્દન નદીએ આવ્યા અને યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા ગયા.


પણ ઈસુએ જવાબ આપ્યો, હાલ એમ થવા દે. કારણ, આ રીતે આપણે ઈશ્વરની સર્વ માગણીઓ પરિપૂર્ણ કરીએ એ ઉચિત છે.


મારા પ્રભુની માતા મને મળવા આવે એ મારે માટે કેવી મહાન બાબત છે!


તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.


ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી;


પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે.


વળી, બીજો પણ એક તફાવત છે; પેલા બીજા યજ્ઞકારો ઘણા હતા, કારણ, તેઓ મૃત્યુ પામતા હતા અને તેથી તેઓ પોતાના કાર્યમાં ચાલુ રહી શક્તા ન હતા.


Lean sinn:

Sanasan


Sanasan