Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:43 - પવિત્ર બાઇબલ C.L.

43 તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:43
18 Iomraidhean Croise  

તેઓ રાત્રે ઘરોમાં ખાતર પાડે છે, અને દિવસે બંધબારણે ભરાઈ રહે છે; તેઓ અજવાળાને ઓળખતા જ નથી.


કારણ, મારા પતિ ઘેર નથી, તે દૂર મુસાફરીએ ગયા છે.


સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા.


તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી.


સાવધ રહો. કારણ, તમારા પ્રભુ કયે દિવસે આવશે તેની તમને ખબર નથી.


તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.


તેથી મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ ખરીદવા ગઈ. તેવામાં વરરાજા આવ્યા. જે પાંચ કન્યાઓ તૈયાર હતી તે વરરાજા સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.


ઈસુએ સાર આપતાં કહ્યું, સાવધ રહો, કારણ, તે દિવસ કે ઘડીની તમને ખબર નથી.


તેથી તમે જાગતા રહેજો; કારણ, ઘરનો માલિક ક્યારે આવશે તેની તમને ખબર નથી- સાંજે આવે કે મધરાતે આવે, કૂકડો બોલતાં આવે કે સવારે આવે.


ઈસુને ખબર પડી કે તેમના શિષ્યોને સામા પવનને કારણે હોડી હંકારવામાં મુશ્કેલી પડે છે; તેથી સવારના ત્રણથી છ સુધીના સમયમાં તે પાણી પર ચાલીને તેમની પાસે ગયા.


વળી, જો તે મધરાતે અથવા એથી પણ મોડો આવે અને છતાંય તેમને તૈયાર જુએ તો એ નોકરોને ધન્ય છે!


યાદ રાખો, ચોર ક્યારે આવશે તે સમય જો ઘરનો માલિક જાણતો હોય, તો તે ચોરને તેના ઘરમાં ચોરી કરવા નહિ દે.


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


“સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.”


તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan