Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 23:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી તેઓ તમને જે કંઈ ફરમાવે તેનું તમારે પાલન કરવું જોઈએ. પણ તેમના વર્તનનું અનુકરણ કરવું નહિ. કારણ, તેઓ જે સંદેશો આપે છે તે પ્રમાણે તેઓ વર્તતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો. પણ તેઓનાં કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 23:3
16 Iomraidhean Croise  

પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.”


ત્યાર પછી તે બીજા પુત્ર પાસે ગયો અને એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ’હા, જઉં છું.’ પણ તે ગયો નહિ.


નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓ મોશેના નિયમશાસ્ત્રનું સાચું અર્થઘટન કરવાનો અધિકાર ધરાવે છે.


તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી.


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’


ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.


તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.


Lean sinn:

Sanasan


Sanasan