Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 12:4
11 Iomraidhean Croise  

મેજ કરારપેટી આગળ મૂકવી અને તેના પર મને અર્પેલી પવિત્ર રોટલી હમેશાં મૂકેલી રાખવી.


મોશેએ આરોન અને તેના પુત્રોને કહ્યું, “પ્રભુની આજ્ઞા પ્રમાણે આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જાઓ. ત્યાં તેને બાફીને તૈયાર કરો અને તે પદપ્રતિષ્ઠાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાઓ.


ઈસુએ જવાબ આપ્યો, જ્યારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા, ત્યારે તેમણે શું કર્યું હતું તે તમે કદી વાંચ્યું નથી?


અથવા, મોશેના નિયમશાસ્ત્રમાં તમે નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યજ્ઞકાર વિશ્રામવાર એંના નિયમનો ભંગ કરે છતાં તે નિર્દોષ છે?


તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. અબ્યાથાર મુખ્ય યજ્ઞકારના સમયમાં એ બન્યું. આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તો માત્ર યજ્ઞકારો જ આ રોટલી ખાઈ શકે; છતાં દાવિદે તે ખાધી, અને પોતાની સાથેના માણસોને પણ આપી.”


ઈશ્વરના મંદિરમાં જઈને તેણે ઈશ્વરને અર્પણ કરેલી રોટલી લઈને ખાધી, અને પોતાના સાથીદારોને પણ આપી; જો કે યજ્ઞકારો સિવાય બીજું કોઈ એ રોટલી ખાય તો તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે.”


એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં.


યજ્ઞકારે કહ્યું, “મારી પાસે સામાન્ય રોટલી નથી, પણ માત્ર પવિત્ર રોટલી છે; તારા માણસોએ તાજેતરમાં સ્ત્રીસમાગમ ન કર્યો હોય તો તું તે લઈ શકે છે.”


તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan