Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:37 - પવિત્ર બાઇબલ C.L.

37 એ શહેરમાં એક સ્ત્રી રહેતી હતી અને તેણે દુષ્ટ જીવન ગાળ્યું હતું. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે. તેથી તે અત્તર ભરેલી આરસપહાણની શીશી લાવી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્‍ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠા છે. ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:37
18 Iomraidhean Croise  

આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી? તેમણે જવાબ આપ્યો, પહેલા પુત્રે. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: નાકાદારો અને વેશ્યાઓ તમારી પહેલાં ઈશ્વરના રાજમાં જાય છે.


પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”


એ જોઈને બધા લોકો બબડવા લાગ્યા, “આ માણસ, એક પાપીને ઘેર મહેમાન તરીકે રહે છે!”


કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?”


હું સદાચારી ગણાતા લોકોને નહિ પણ પોતાના પાપથી પાછા ફરે તે માટે પાપીઓને બોલાવવા આવ્યો છું.”


માનવપુત્ર આવ્યો, અને તે ખાતો હતો અને પીતો હતો, તો તમે કહ્યું, “જુઓ, આ માણસ! તે ખાઉધરો તથા દારૂડિયો અને નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓનો મિત્ર છે!


એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેને ઘેર ગયા અને જમવા બેઠા.


આ જ મિર્યામે પ્રભુને પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળથી તેને લૂછયા હતા. તેનો ભાઈ લાઝરસ માંદો પડયો હતો.


આંધળા જન્મેલા માણસને તેમણે બીજીવાર બોલાવડાવ્યો અને કહ્યું, “ઈશ્વરનો ડર રાખીને સાચું બોલજે. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે.


પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા.


આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.


છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, નાસ્તિક ને પાપી, અપવિત્ર ને અધર્મી, માતપિતાને મારી નાખનારાઓ, ખૂનીઓ,


શાસ્ત્રમાં લખેલું છે: “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી નાસ્તિકો અને પાપીઓનું શું થશે?”


Lean sinn:

Sanasan


Sanasan