Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:19 - પવિત્ર બાઇબલ C.L.

19 બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ, તેમનામાંથી પરાક્રમ નીકળતું હતું, અને બધાને સાજા કરતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સર્વ લોકો તેમનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સર્વને સાજાં કરતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:19
15 Iomraidhean Croise  

એક વાર દફન વખતે એવું એક ધાડું દેખાયું. તેથી લોકો શબને એલિશાની કબરમાં નાખી દઈ નાઠા. શબ એલિશાના હાડકાંને અડકયું કે પેલો માણસ સજીવન થઈ બેઠો થયો.


ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા.


કારણ, તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા, અને બધા બીમાર માણસો તેમની પાસે જઈને તેમને સ્પર્શ કરવા પડાપડી કરતા હતા,


ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?”


ગામડાંઓમાં, શહેરોમાં કે પરાંઓમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં લોકો તેમનાં માંદાઓને ચોકમાં લાવતા, અને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરવા દેવા આજીજી કરતા. જેટલા ઝભ્ભાની કોરને સ્પર્શ કરતા તે બધા જ સાજા થઈ જતા હતા.


તેઓ બેથસૈદામાં આવ્યા. ત્યાં કેટલાક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા અને તેમને વિનંતી કરી કે તમે આને સ્પર્શ કરો.


એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું.


તેઓ તેમનું સાંભળવા તેમજ પોતાના રોગોથી સાજા થવા આવ્યા હતા. અશુદ્ધ આત્માઓથી પીડાતા માણસો પણ આવ્યા અને સાજા થયા.


પાઉલે વાપરેલા હાથરુમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


Lean sinn:

Sanasan


Sanasan