Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 13:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી તે અઢાર વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી, અને ટટ્ટાર થઈ શક્તી ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જુઓ, જેને અઢાર વરસથી મંદવાડનો આત્મા વળગેલો હતો એવી એક સ્‍ત્રી ત્યાં હતી. તે વાંકી વળી ગઈ હતી, અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 13:11
20 Iomraidhean Croise  

શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. તેણે યોબના આખા શરીરમાં પગના તળિયેથી માથાના તાલકા સુધી પીડાદાયક ગૂમડાંનું દર્દ ઉપજાવ્યું.


પ્રભુ પડતા જનોને ટેકો આપે છે, અને નીચે પડી ગયેલા જનોને ઉઠાવી લે છે.


પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે;


હું અત્યંત વાંકો વળી ગયો છું અને લથડી ગયો છું. હું આખો દિવસ શોકમગ્ન રહું છું.


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું નિર્બળ થઈ ગયો છું. મને સાજો કરો; કારણ, મારાં હાડકાંમાં પીડા થાય છે.


ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા.


ઈસુએ છોકરાના પિતાને પૂછયું, “આને આવું ક્યારથી થાય છે?” તેણે જવાબ આપ્યો, “બાળપણથી જ.


ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.”


અહીં આ પણ અબ્રાહામની પુત્રી છે અને શેતાને તેને અઢાર વર્ષથી બાંધી રાખી હતી. તો વિશ્રામવારે તેને બંધનમુક્ત કરવી કે નહિ?”


આ બધી બાબતો થવા લાગે ત્યારે ઊભા રહીને તમારાં માથાં ઊંચાં કરો, કારણ, તમારો ઉદ્ધાર નજીક છે.”


કેટલીક સ્ત્રીઓ જેમને દુષ્ટાત્માઓથી અને રોગોમાંથી સાજી કરવામાં આવી હતી તેઓ પણ સાથે હતી. તેમનામાં, જેનામાંથી સાત અશુદ્ધ આત્માઓ કાઢવામાં આવ્યા હતા તે માગદાલાની મિર્યામ,


ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો.


ત્યાં એક સ્ત્રી હતી. તે બાર વર્ષથી રક્તસ્રાવના રોગથી પીડાતી હતી. તેણે સારવાર માટે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, પણ કોઈ તેને સાજી કરી શકાયું ન હતું.


ત્યાં “સુંદર” નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ બેઠો હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો.


જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan