Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:18 - પવિત્ર બાઇબલ C.L.

18 મારા કોઠાર તોડી નંખાવીશ અને એથી વધારે મોટા કોઠાર બંધાવીશ, અને ત્યાં અનાજ અને માલમિલક્ત રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “પછી પૈસાદાર માણસે કહ્યું, ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:18
11 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી?


તે પોતાના મનમાં વિચારવા લાગ્યો, ‘મારું બધું અનાજ ભરી રાખવાને મારી પાસે જગ્યા નથી. હવે કરવું શું?’ તેણે પોતાના મનમાં વિચાર્યું, ‘હું આમ કરીશ:


પછી મારી જાતને કહીશ: હે જીવ! ઘણાં વર્ષો માટે તારે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે. હવે એશઆરામ કર, અને ખાઈપીને મજા કર!’


ઈસુએ અંતમાં કહ્યું, “જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે, પણ ઈશ્વરની દૃષ્ટિમાં સંપત્તિવાન નથી, તેની આવી જ દશા થાય છે.”


કાગડાઓનો વિચાર કરો! તે નથી વાવતા કે નથી કાપણી કરતા; તેમની પાસે નથી કોઠાર કે ભંડાર; છતાં ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે! પંખીઓ કરતાં તમારું મૂલ્ય ઘણું મોટું છે!


કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી,


પછી પ્રભુએ કહ્યું, “એ અપ્રામાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો.


આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે.


“આજે કે આવતી કાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી વેપાર કરીને કમાઈશું.” એવું કહેનારા તમે મારું સાંભળો.


તમારે તો આમ કહેવું જોઈએ: જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું.


Lean sinn:

Sanasan


Sanasan