Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું. અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના શિંગ ઉપર તે લગાડ્યું; અને [બાકીનું] રક્ત વેદીના થડમાં ઢોળી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 9:9
14 Iomraidhean Croise  

વેદીના મથાળાનો ભાગ, જેના ઉપર બલિ ચડાવાતો તે બે મીટર ઊંચો હતો. વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હતાં. તે મથાળાના બીજા ભાગ કરતાં ઊંચાં હતાં.


તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.


પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.


ત્યાર પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પ્રાયશ્ર્વિતબલિની બધી ચરબી, મૂત્રપિંડો અને કલેજાના ચરબીયુક્ત ભાગનું યજ્ઞવેદી પર દહન કર્યું.


પછી તેણે પોતાના દહનબલિ માટેનું પ્રાણી પ્રભુને ચડાવ્યું. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે તે રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટયું.


લોકો માટેના સંગતબલિ તરીકે તેણે આખલા અને ઘેટાનો બલિ ચડાવ્યો. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું.


સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.


Lean sinn:

Sanasan


Sanasan