Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી મોશે પ્રાયશ્ર્વિતબલિના આખલાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે પાપાર્થાર્પણના બળદને લાવ્યો. અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેમના હાથ મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મૂસા પાપાથાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી પાપાથાર્પણના બળદને આગળ લાવ્યો અને હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:14
17 Iomraidhean Croise  

ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ.


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


સાદોકના વંશના લેવી યજ્ઞકારો જ મારી સેવા કરવા મારી હજૂરમાં આવે. આ મારો, એટલે પ્રભુ પરમેશ્વરનો આદેશ છે. પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવા માટે તારે તેમને એક જુવાન આખલો આપવો.


તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.


અને ત્યાર પછી મંદિરની અંદરના ચોકમાં જઇ પ્રાયશ્ર્વિત માટે બલિ ચડાવવો, જેથી તેઓ મંદિરમાં જઇ પુન: સેવાકાર્યો કરી શકે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે.


તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.


તેણે પોતાનાં અને પોતાના કુટુંબનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલાનું બલિદાન ચડાવવું.


સમાજના આગેવાનોએ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ તેને કાપવો.


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


ત્યાર પછી લેવીઓ બંને વાછરડાઓના માથા ઉપર પોતાના હાથ મૂકે. એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજો દહનબલિ તરીકે પ્રભુની સમક્ષ લેવીઓના પ્રાયશ્ર્વિત માટે અર્પણ કરવો.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan