Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:7
17 Iomraidhean Croise  

યાહવે જ એકમાત્ર ઈશ્વર છે. તેમણે આપણને પ્રકાશ આપ્યો છે. વેદીનાં શિંગો સાથે પર્વના બલિદાનને દોરડાંથી બાંધો.


વાછરડાના રક્તમાંથી થોડું રક્ત લઈને તારી આંગળી વડે વેદીના શિંગ ઉપર લગાડવું. પછી બાકીનું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું.


તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું.


પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યારપછી યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે.


પણ જો તેનું રક્ત મુલાકાતમંડપમાં પાપ દૂર કરવા માટેની વિધિમાં વપરાયું હોય તો તે પ્રાયશ્ર્વિતબલિ ખાવો નહિ, પણ તેને અગ્નિમાં બાળી નાખવું.


પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.


તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું.


પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેમને ખ્રિસ્તના રક્ત દ્વારા નજીક લાવવામાં આવ્યા છે.


આ કારણથી ખ્રિસ્ત નવા કરારના મયસ્થ છે, જેથી જેમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે તેઓ, ઈશ્વરે જે સાર્વકાલિક આશિષો સંબંધી વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરે. તે એટલા માટે શકાય છે કે, પહેલા કરારના અમલ દરમિયાન મનુષ્યોથી થયેલાં ઉલ્લંઘનોમાંથી મુક્તિ અપાવનાર મરણ ખ્રિસ્તે સહન કર્યું છે.


તે જ પ્રમાણે, મોશેએ મંડપ પર તથા ભજનસેવામાં વપરાતી સર્વ વસ્તુઓ પર પણ રક્તનો છંટકાવ કર્યો.


પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા.


Lean sinn:

Sanasan


Sanasan