Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગરના નરનું અર્પણ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગર વગરના નરનું અર્પણ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:23
23 Iomraidhean Croise  

કારણ, તમે અમારા અન્યાય જોઈ શકો છો. બલ્કે, અમારાં ગુપ્ત પાપો પણ તમારી વેધક દષ્ટિથી છુપાં નથી.


બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો એક બકરો પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવો અને અગાઉ જેમ આખલાના રક્તથી વેદીને પવિત્ર કરી હતી તેમ બકરાના રક્ત વડે વેદીને પવિત્ર કરવી.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


તે સાથે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને સંગતબલિ તરીકે એક વર્ષના બે નર હલવાન ચડાવવા.


તો તેની જાણ થતાં જ સમાજે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો યુવાન આખલો ચડાવવો. તે આખલાને મુલાકાતમંડપની આગળ લાવવો.


બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ ચડાવવું.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


“જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


ત્યાર પછી તું ઇઝરાયલી લોકોને પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો વાછરડો અને તેવું જ એક ઘેટાનું બચ્ચું;


સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું.


દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવ અર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતના બલિ તરીકે પ્રભુને એક બકરાનો બલિ પણ ચડાવવો.


એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


તમારે પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. પ્રાયશ્ર્વિત બલિ અને દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં એ અર્પણ છે.


વળી, પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. આ બધું દરરોજના દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ ઉપરાંત ચડાવવાનું છે.


વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો.


એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


Lean sinn:

Sanasan


Sanasan