Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તે વાછરડાને છાવણીની બહાર લઈ જાય, ને જેમ પહેલા વાછરડાને તેણે બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:21
18 Iomraidhean Croise  

દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ ઇઝરાયલના ઈશ્વરને દહનબલિ ચડાવ્યા. બધા ઇઝરાયલીઓ માટે બાર આખલા, છન્‍નું ઘેટા અને સિત્તોતેર હલવાનો તેમ જ પ્રાયશ્ર્વિત નિવારણ બલિ માટે બાર બકરા એ બધાં પ્રાણીઓ પ્રભુને દહનબલિ તરીકે ચડાવવામાં આવ્યાં.


પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે.


પર્વના પ્રથમ દિવસે ઇઝરાયલ દેશના રાજર્ક્તાએ પોતાનાં અને લોકોનાં પાપના પ્રાયશ્ર્વિત માટે એક આખલો પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવવો.


“પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું.


તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.


પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું.


“જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે.


ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી.


યજ્ઞકારે પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણનો કોઈ ભાગ ખાવાનો નથી; એનું અગ્નિમાં દહન કરી નાખવું.”


તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું.


સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું.


કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan