Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 4:12 - પવિત્ર બાઇબલ C.L.

12 એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એટલે, બળદનું આંખું ખોળિયું છાવણી બહાર કોઇ સ્વચ્છ જગાએ જ્યાં રાખ ઠાલવી નંખાય છે ત્યાં તે લઈ જાય, ને ત્યાં લાકડાં સળગાવીને તેને બાળી નાખે; જયાં રાખ ઠાલવી નંખાય છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 4:12
16 Iomraidhean Croise  

પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે.


ત્યાર પછી પ્રાયશ્ર્વિતબલિ માટેના જુવાન આખલાને લેવો અને તેને પવિત્રસ્થાનથી બહાર, મંદિરના નિર્ધારિત સ્થળે બાળવો.


રોગ ચાલુ રહે ત્યાં સુધી તે અશુદ્ધ છે. તેણે છાવણી બહાર લોકોથી દૂર અલગ વસવાટ કરવો.


પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું.


ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


યજ્ઞકારે પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણનો કોઈ ભાગ ખાવાનો નથી; એનું અગ્નિમાં દહન કરી નાખવું.”


પણ જો તેનું રક્ત મુલાકાતમંડપમાં પાપ દૂર કરવા માટેની વિધિમાં વપરાયું હોય તો તે પ્રાયશ્ર્વિતબલિ ખાવો નહિ, પણ તેને અગ્નિમાં બાળી નાખવું.


તો તે મૂડી વિષે કે ચોરી વિષે કે ખોવાયેલી ચીજ વિષે કે જૂઠા સોગંદ વિષે એટલે આવી અપ્રામાણિક બાબતો માટે જ્યારે તે દોષનિવારણ બલિ ચડાવે,


તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું.


પણ તેણે માંસ તથા ચામડું છાવણી બહાર લઈ જઈને અગ્નિમાં બાળી નાખ્યાં.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને મોતની સજા ફટકારવામાં આવે. પડાવ બહાર સમગ્ર સમાજે તેને પથ્થરો મારીને મારી નાખવો.”


તમે તે વાછરડી યજ્ઞકાર એલાઝારને આપો. તે તેને પડાવ બહાર લઈ જાય અને તેની હાજરીમાં તેને વધેરવામાં આવે.


પછી વાછરડીનાં ચામડાં, માંસ, લોહી અને આંતરડા સાથે તેનું યજ્ઞકારની હાજરીમાં દહન કરવામાં આવે.


પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારે તેમને છાવણી બહાર કાઢવાં. હું મારા લોકો મધ્યે વસું છું અને છાવણી તેમનાથી અશુદ્ધ થાય નહિ એ માટે એવાંને છાવણી બહાર રાખવાં.”


યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan