Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પછી તે પ્રાણીના આટલા ભાગ પ્રભુને અગ્નિ બલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની ચરબી અને તેની આજુબાજુની બધી ચરબી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તે શાંત્યર્પણના ય માંથી યહોવા પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાંની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે વ્યક્તિએ પશુના નીચેનો ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:3
25 Iomraidhean Croise  

તેમનાં હૃદયો નિષ્ઠુર અને લાગણીહીન છે, પરંતુ હું તમારા નિયમમાં આનંદ માણું છું.


તે પછી, અંદરના અવયવો પરની બધી ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તે પરની બધી ચરબી લઈને તેનું વેદી પર દહન કરવું.


“વળી, તારે ઘેટાની ચરબી, પૂંછડી તથા આંતરિક અવયવો પરની ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તેમના પરની ચરબી અને જમણી જાંઘ કાપી લેવાં.


મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ.


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


હું તમને નવું હૃદય આપીશ અને તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પાષાણસમ હઠીલું હૃદય દૂર કરીશ અને તમને માંસનું આધીન હૃદય આપીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


પછી પેલા માણસે બલિના ટુકડા કરવા અને યજ્ઞકારોએ તે ટુકડા, માથું અને ચરબી એ બધું જ વેદી ઉપર સળગતાં લાકડાં પર મૂકવું.


પછી તેમણે પ્રાણીના ટુકડા, તેનું માથું અને ચરબી વેદી પરના અગ્નિમાં મૂકવા.


પ્રાયશ્ર્વિત બલિની બધી ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કરવું.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.


તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


બન્‍ને મૂત્રપિંડો અને તેની આજુબાજુની બધી ચરબી તથા કલેજા પરની ચરબી.


ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું.


તેણે જાતે જ તે ભાગનું અર્પણ લઈને આવવું. તેણે પ્રાણીની છાતીના ભાગ સાથે ચરબી લાવીને પ્રભુને તેનું અર્પણ કરવું.


યજ્ઞકારે આ બધી જ ચરબી વેદી ઉપર પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવી તેનું દહન કરવાનું છે. આ દોષનિવારણ બલિ છે.


ત્યાર પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પ્રાયશ્ર્વિતબલિની બધી ચરબી, મૂત્રપિંડો અને કલેજાના ચરબીયુક્ત ભાગનું યજ્ઞવેદી પર દહન કર્યું.


ધન્ય છે તમને કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે.


’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ખ્રિસ્તની સાથે તેમના ક્રૂસ પર મરણ પામ્યું; એ માટે કે આપણી પાપી પ્રકૃતિના બળનો નાશ થાય અને આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહિ.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


વળી, ચરબી કાઢીને તેનું દહન કરવામાં આવે તે પહેલાં તો યજ્ઞકારનો નોકર આવીને બલિ ચઢાવનાર માણસને કહેતો, “યજ્ઞકારને શેકવાને માટે મને થોડું માંસ આપો, તે તમારી પાસેથી માત્ર ક્ચુ માંસ જ સ્વીકારશે, બાફેલું નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan