Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:16
19 Iomraidhean Croise  

પરંતુ હાબેલે પોતાના ઘેટાં-બકરાંમાંથી પ્રથમજનિતનું ચરબીયુક્ત બલિદાન ચડાવ્યું. પ્રભુ હાબેલ તથા તેના અર્પણથી પ્રસન્‍ન થયા.


પૂર્ણ દહનબલિનાં અર્પણો ઉપરાંત માત્ર ચરબીનું જ દહન કરવાનું હોય તેવાં સંગતબલિ અને દ્રાક્ષાસવના પેયાર્પણ મોટા પ્રમાણમાં ચડાવવાની જવાબદારી પણ યજ્ઞકારોની હતી. એમ પ્રભુના મંદિરમાં ફરીથી ભક્તિની શરૂઆત થઈ.


શલોમોને મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પણ પવિત્ર કર્યો, અને ત્યાં સંપૂર્ણ દહનબલિ, ધાન્યાર્પણ અને સંગતબલિની ચરબીનું અર્પણ કર્યું. આ બધાં અર્પણો તેણે બનાવેલી તાંબાની વેદી પર સમાઈ શકે તેમ ન હોઈ તેણે તેમ કર્યું.


તે પછી, અંદરના અવયવો પરની બધી ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તે પરની બધી ચરબી લઈને તેનું વેદી પર દહન કરવું.


“વળી, તારે ઘેટાની ચરબી, પૂંછડી તથા આંતરિક અવયવો પરની ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તેમના પરની ચરબી અને જમણી જાંઘ કાપી લેવાં.


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


યજ્ઞકાર તેનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસેની યજ્ઞવેદી પર છાંટે અને બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે; એની સુવાસ પ્રભુને પ્રિય છે.


ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું.


ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


Lean sinn:

Sanasan


Sanasan