Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “જ્યારે કોઈ માણસ બકરાનું અર્પણ ચડાવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને જો તેનું અર્પણ બકરાનું હોય તો તે યહોવાને ચઢાવે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:12
15 Iomraidhean Croise  

તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારામાંથી કોઈ માણસ પ્રભુને અર્પણ ચડાવે તો તે ઢોર અથવા ઘેટાંબકરાંનું હોય.


પછી તેણે પ્રાણીનું ચામડું ઉતારી લેવું અને પ્રાણીના કાપીને ટુકડા કરવા.


મોશેએ પ્રાયશ્ર્વિતબલિ માટેના બકરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું તો ક્યારનુંય દહન કરી દેવામાં આવ્યું હતું. તેથી તે આરોનના બાકી રહેલા પુત્રો એલાઝાર અને ઇથામાર પર ગુસ્સે ભરાયો.


“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


ત્યાર પછી તેણે લોકોને માટે બલિદાન ચડાવ્યું. તેણે લોકોનાં પાપ માટેનો બકરો લીધો, તેને કાપ્યો અને તેણે પોતાના પ્રાયશ્ર્વિતબલિનું કર્યું હતું તે જ પ્રમાણે આ પ્રાયશ્ર્વિતબલિ પણ ચડાવ્યો.


ત્યાર પછી તું ઇઝરાયલી લોકોને પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો વાછરડો અને તેવું જ એક ઘેટાનું બચ્ચું;


જો ઘેટાનું અર્પણ હોય તો દોઢ કિલોગ્રામ તેલથી મોહેલો બે કિલો લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો અને દોઢ લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


Lean sinn:

Sanasan


Sanasan