Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:3 - પવિત્ર બાઇબલ C.L.

3-7 “વીસથી સાઠ વર્ષની ઉંમરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 50 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 30 શેકેલ ચૂકવવા. પાંચથી વીસ વર્ષની ઉંમરના છોકરાનું મુક્તિમૂલ્ય ચાંદીના 20 શેકેલ થાય. જો તે છોકરી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. પાંચ વર્ષથી નીચેના નર બાળકનું મુક્તિમૂલ્ય ચાંદીના 5 શેકેલ થાય. અને નારી હોય તો ચાંદીના 3 શેકેલ ચુકવવા. સાઠ વર્ષથી ઉપરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 15 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય:વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, પચાસ શેકેલ રૂપું થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના પુરુષની કિંમત મુલાકાતમંડપના ધોરણ અનુસાર 50 શેકેલ ચાંદી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:3
10 Iomraidhean Croise  

યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી.


વસ્તી ગણતરીમાં જેમની ગણતરી થાય તે દરેક જણે મુલાકાતમંડપના નિયત વજનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ એટલે છ ગ્રામ જેટલું રૂપું આપવું.


પવિત્રસ્થાન માટે પ્રભુને અર્પવામાં આવેલા સઘળા સોનાનું વજન પવિત્રસ્થાનના શેકેલના તોલમાપની ગણતરી મુજબ 1,000 કિલોગ્રામ હતું.


“જો કોઈ પોતાનું મકાન પ્રભુને સમર્પિત કરે તો યજ્ઞકાર તેની તપાસ કરી સારીનરસી બાબતો જોઈ તે પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે તેની આખરી કિંમત ગણાય.


“વીસ ગેરાનો એક શેકેલ એ લેખે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે બધું મૂલ્ય ગણવામાં આવે.


તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે.


તેણે પોતાના દોષનિવારણ બલિ તરીકે ખોડખાંપણ વગરનો એક ઘેટો પ્રભુને ચડાવવો અને પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવી.


નર બાળકો એક મહિનાના થાય ત્યારે પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે તેમનું મુક્તિમૂલ્ય 55 ગ્રામ ચાંદી લઈ તેમને મુક્ત કરવા.


એટલે દરેકને માટે તું ચાંદીના પાંચ સિક્કા લે. (સિક્કાનું વજન પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે હોવું જોઈએ. એક સિક્કો બાર ગ્રામનો હોય છે.)


Lean sinn:

Sanasan


Sanasan