Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી, લોકને એમ કહે કે, જો કોઈ માણસ ખાસ માનતા લે તો તારા ઠારાવેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવા માટે [માન્ય] થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “ઇસ્રાએલ પુત્રોને આ કહે, જો કોઈ માંણસ યહોવાને ખાસ પ્રતિજ્ઞા કરે કે તે કોઈ બીજા વ્યક્તિને દેવને અર્પણ કરશે, તો યાજકે તે માંણસની કિંમત ઠરાવવી જેથી બીજુ કોઈ તેને દેવ પાસેથી પાછો ખરીદી શકે. તે વ્યક્તિની કિંમત નીચે જણાવ્યા મુજબ નક્કી કરવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:2
14 Iomraidhean Croise  

પ્રત્યેક યજ્ઞકારે તેમની સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એ રકમ લેવી અને પ્રભુના મંદિરમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં મરામત માટે એ રકમ વાપરવી.”


પુષ્કળ કામની ચિંતાથી પુષ્કળ સ્વપ્નો આવે છે અને વધુ બકવાસ કરવાથી મૂર્ખની મૂર્ખતા પ્રગટ થાય છે.


પ્રભુએ મોશેને કહ્યું,


ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.”


જો કોઈ યુવતી હજી પોતાના પિતાને ઘેર જ રહેતી હોય ત્યારે સ્વેચ્છાથી પ્રભુ માટે કંઈક આપવાની માનતા લે કે કોઈ વસ્તુ છોડી દેવાનું વચન આપે,


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે


“જ્યારે તમે કોઈની દ્રાક્ષાવાડીમાંથી પસાર થતા હો ત્યારે તમે ધરાઈને દ્રાક્ષ ખાઈ શકો છો, પણ તમારે દ્રાક્ષ કોઈ પાત્રમાં ભરીને લઈ જવી નહિ.


બે માસ પછી તે પોતાના પિતા પાસે પાછી આવી. યફતાએ પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરી અને તેની પુત્રી કુંવારી રહી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડી ગયો કે


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan