Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:24 - પવિત્ર બાઇબલ C.L.

24 જ્યારે જમીનનું વેચાણ કરવામાં આવે ત્યારે તે પાછી ખરીદી લેવાનો મૂળ માલિકનો હક્કચાલુ રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 વેચાણ ખરીદમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર ગમે ત્યારે પાછી મેળવી શકે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:24
12 Iomraidhean Croise  

વેચનાર વેચી નાખેલી વસ્તુ પાછી મેળવવા જીવવાનો નથી, કારણ પ્રભુનો કોપ સૌ પર એક્સરખો ઊતરનાર છે. દુષ્ટો બચી શકવાના નથી.


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


જો કોઈ ઇઝરાયલી ગરીબ બની જાય અને તેને પોતાની જમીન વેચી દેવાની ફરજ પડે તો તેનો નજીકનો સગો તે ખરીદીને પાછી મેળવી આપે.


આવા કિસ્સામાં વેચાણ પછીનાં વર્ષો હિસાબમાં લઈ પછીનાં જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે તેની કિંમતની ગણતરી કરી ચૂકવવી. તેણે તેની મિલક્ત પાછી આપી દેવી.


કોટ વગરનાં ગામડાંનાં ઘરો તો ખેતર જેવાં જ ગણાય. મૂળ માલિકને તે ફરીથી ખરીદવાનો હક્ક કાયમ રહે અને ઋણમુક્તિના વર્ષમાં તો તે પાછું મૂળ માલિકને મળે.


ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


પવિત્ર આત્મા તો ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પોતાના લોકને આપવા ધારેલ વારસાનું બાનું છે અને જેઓ ઈશ્વરના છે તેમને ઈશ્વર સંપૂર્ણ મુક્ત કરશે એની ખાતરી છે. ઈશ્વરના મહિમાની સ્તુતિ કરો!


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે.


Lean sinn:

Sanasan


Sanasan