Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય, કે છૂટાછેડા પામેલી હોય, ને તેને ફરજંદ ન હોય, ને પોતાના પિતાના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના પિતાના ખોરાકમાંથી ખાય; પણ કોઈ પારકો તેમાંથી ખાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:13
11 Iomraidhean Croise  

ત્યારે યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો પુત્ર મોટો થાય ત્યાં સુધી તું તારા પિતાને ત્યાં વિધવા તરીકે રહે.” કારણ, તેને બીક લાગી કે કદાચ શેલા પણ પોતાના ભાઈની જેમ માર્યો જાય. એટલે તામાર પોતાના પિતાને ઘેર જઈને રહી.


તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


તેમની દીક્ષામાં પાપોની માફીની વિધિ માટે જે કંઈ વપરાયું હોય તે તેઓ ખાય.


તમે પોતે મારા મંદિરમાં પવિત્ર સેવાકાર્ય કર્યાં નથી. પણ તમે પરપ્રજાજનોને એ કામોની જવાબદારી સોંપી છે.


વળી, યજ્ઞકારો માટે પ્રભુને ચડાવેલા બલિનો છાતીનો ભાગ અને પાછલા પગ તારો અને તારા કુટુંબનો વિશિષ્ટ હિસ્સો છે. કોઈ પવિત્ર સ્થળે બેસીને તે તમારે ખાવો. ઇઝરાયલી લોકના સંગતબલિમાંથી તમારો અને તમારા બાળકોનો એ હિસ્સો છે.


“ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય.


યજ્ઞકારની પુત્રી યજ્ઞકારના કુટુંબનો ન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે તો તે પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે નહિ.


પછી ધારો કે તેનાથી છૂટા થયા બાદ તે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે,


શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan