Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તે પોતાના ઈશ્વરની રોટલી ખાય, એટલે પરમપવિત્રમાંથી તેમ જ પવિત્રમાંથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:22
19 Iomraidhean Croise  

મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.


“ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે.


ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


ધાન્ય અર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


પણ પડદાની કે વેદીની નજીક આવે નહિ; કારણ, તેને શારીરિક ખોડ છે. તે મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરે નહિ; કારણ, હું તેમને પવિત્ર કરનાર પ્રભુ છું.”


“તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”


સૂર્યાસ્ત પછી તે શુદ્ધ છે; એટલે તે પવિત્ર અર્પણોમાંથી ખાઇ શકે; કારણ, તે તો યજ્ઞકારો માટેનો ખોરાક છે.


“મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે.


પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ આ બલિ ખાઈ શકે છે; તે અતિ પવિત્ર છે.


“દોષનિવારણબલિના નિયમો આ પ્રમાણે છે: તે અતિ પવિત્ર છે.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ તે ખાઈ શકે છે; પણ તે અતિ પવિત્ર છે. તેથી તે પવિત્રસ્થાનમાં જ ખાવામાં આવે.


“ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”


તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે.


Lean sinn:

Sanasan


Sanasan