Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહને અર્પિત કરેલું યહોવાહના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:10
15 Iomraidhean Croise  

પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી.


તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ.


તેઓ ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ ખાય, અને ઇઝરાયલમાં જે કંઈ મને સમર્પિત કરવામાં આવે તે તેમને મળે.


“આ સ્થળે યજ્ઞકારોએ પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ માટેનાં પશુઓનું માંસ બાફવાનું છે અને ત્યાં જ ધાન્યઅર્પણ માટેના અન્‍નની રોટલી શેકવાની છે. જેથી તેઓ બલિપશુનું માંસ અને ધાન્યઅર્પણનું અન્‍ન બહારના ચોકમાં લઈ ન જાય. અને એ પવિત્રવસ્તુઓનો સ્પર્શ થવાને લીધે લોકો પર દૈવી કોપ આવી ન પડે.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


“ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે.


ધાન્ય અર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


યજ્ઞકારે આ રીતે માણસના પાપના પ્રાયશ્ર્વિત માટે અર્પણ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. ધાન્યઅર્પણ માફક આ અર્પણનો બાકીનો લોટ યજ્ઞકારને મળે છે.”


બાકીનું બધું યજ્ઞકારોએ ખાવાનું છે. તેમણે તેમાંથી ખમીર નાખ્યા વગર રોટલી બનાવી પ્રભુની સમક્ષ મુલાકાતમંડપના ચોકમાં ખાવી. પ્રભુએ તે યજ્ઞકારોને ધાન્યઅર્પણના તેમના ભાગ તરીકે આપેલું છે; તે અતિ પવિત્ર છે. પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિની માફક તે અતિ પવિત્ર છે.


યજ્ઞકારે પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણનો કોઈ ભાગ ખાવાનો નથી; એનું અગ્નિમાં દહન કરી નાખવું.”


“પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ માટે એક સરખો નિયમ છે: વિધિ કરનાર યજ્ઞકારને તેનું માંસ મળે.


પરમપવિત્ર વસ્તુઓમાંથી અગ્નિમાં દહનીય નથી એવું આટલું તારું ગણાશે: તેઓ મને પવિત્ર અર્પણ તરીકે ચડાવે છે તે બધાં ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ તે તારા અને તારા વંશજોને માટે પરમપવિત્ર ગણાય.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan