Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાર પછી પ્રભુએ નીચેની સૂચનાઓ આપી: “પરમપવિત્રસ્થાનમાં દાખલ થતાં પહેલાં આરોને સ્નાન કરવું અને પોતાનાં યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત અને પવિત્ર વસ્ત્રો એટલે ડગલો, જાંઘિયો, કમરપટ્ટો અને પાઘડી પહેરવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 શણનો પવિત્ર અંગરખો તે પહેરે, ને તે પોતાને અંગે શણની ઈજાર પહેરે, ને શણના કમરબંધથી કમર બાંધે, ને શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્‍ત્રો છે, અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:4
23 Iomraidhean Croise  

તારા ભાઈ આરોન માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવ; તે તેને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્રો બને.


“તારે આરોન તથા તેના પુત્રોને મુલાકાતમંડપના દ્વાર પાસે લાવવા અને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવવું.


“આરોન અને તેના પુત્રોને મંડપના પ્રવેશદ્વાર આગળ લાવીને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવ.


તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા.


“બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપ્યા પછી આરોન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં જતી વખતે પોતે પહેરેલાં યજ્ઞકારનાં વસ્ત્રો તે ત્યાં ઉતારી મૂકે.


તેણે પવિત્રસ્થળે સ્નાન કરવું અને પોતાનાં બીજાં વસ્ત્રો પહેરી લેવાં. તે પછી તેણે બહાર જઈને પોતાનાં અને લોકોનાં પાપ માટે દહનબલિ ચડાવવો.


પાપ દૂર કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો આ વિધિ પોતાના પિતાને સ્થાને વિધિપૂર્વક અભિષિક્ત થઈ પદપ્રતિષ્ઠા પામેલા પ્રમુખ યજ્ઞકારે જ કરવો. તેણે યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત પવિત્ર વસ્ત્રો પહેરવાં,


પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી.


અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે,


દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.


એને બદલે, તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા.


તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan