Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ત્યાર પછી તેણે આખલાનું રક્ત લઈને પોતાની આંગળીથી દયાસનની ઉપર આગળની બાજુએ છાંટવું અને બાકીનું રક્ત સાતવાર પોતાની આંગળીથી સાક્ષ્યલેખની કરારપેટી પરના દયાસન સામે છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ તરફ દયાસન પર છાંટે; અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યાર પછી તેણે વાછરડાના લોહીમાંથી થોડું લોહી ઢાંકણની પૂર્વ બાજુએ આંગળી વતી છાંટવું અને ઢાંકણની સામે તેણે આંગળી વતી સાત વાર લોહીના છાંટા નાખવા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:14
14 Iomraidhean Croise  

અને બાકીના રક્તમાંથી આંગળી વડે યજ્ઞવેદી પર તેનો સાત વાર છંટકાવ કરવો. આ રીતે યજ્ઞવેદીને ઇઝરાયલી લોકનાં પાપની અશુદ્ધિથી મુક્ત કરીને તેને પવિત્ર કરવી.”


તેણે તે રક્તમાં આંગળી બોળી પ્રભુ સમક્ષ પડદા ઉપર સાતવાર છાંટવું.


તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું.


ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે.


તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.


કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


વિધિગત રીતે અશુદ્ધ હોય તેઓ પર બકરા તથા વાછરડાનું રક્ત અને વાછરડીની રાખ છાંટવામાં આવે છે અને તે દ્વારા તેમને તેમની તેવી અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવે છે.


તે જ પ્રમાણે, મોશેએ મંડપ પર તથા ભજનસેવામાં વપરાતી સર્વ વસ્તુઓ પર પણ રક્તનો છંટકાવ કર્યો.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી;


પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


Lean sinn:

Sanasan


Sanasan