Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પછી યજ્ઞકાર હથેલીમાં બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર લગાવે, અને એ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો પ્રાયશ્ર્વિત વિધિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ તે લગાડે; અને યાજક તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માંથા પર લગાડીને યહોવા સમક્ષ તેનીપ્રાયશ્ચિતવિધિ કરવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:18
13 Iomraidhean Croise  

પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.


પછી પોતાની હથેળીમાં બાકી રહેલા તેલમાંથી શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણ બલિનું રક્ત લગાડયું હતું તેના પર તે ચોપડે.


યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો.


તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે.


ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.”


તેણે તે દાપુ વીસ ટકા ઉમેરીને ચૂકવી દેવું. યજ્ઞકારે તેને માટે ઘેટાનો દોષનિવારણબલિ ચડાવવો; એટલે, તેને માફ કરવામાં આવશે.


ત્યાર પછી તેણે આરોનના માથા પર અભિષેકનું તેલ રેડીને તેની પદપ્રતિષ્ઠાનો વિધિ કર્યો.


યજ્ઞકાર એ વ્યક્તિ માટે, પ્રાયશ્ર્વિતનો વિધિ કરશે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


Lean sinn:

Sanasan


Sanasan