Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ફરીથી સાતમે દિવસે યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેનો ડાઘ ઝાંખો થયો હોય અને વધુ પ્રસર્યો ન હોય તો યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો. તે માત્ર ડાઘ જ હતો એમ સમજવું. તે દર્દી પોતાનાં કપડાં ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યાજક તેને સાતમે દિવસે બીજીવાર તપાસે, અને જો, તે રોગ ઝાંખો પડયો હોય, ને તે ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદું ન સમજવું. અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈને શુદ્ધ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ન હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું જ હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:6
23 Iomraidhean Croise  

“તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે,


તો હે પ્રભુ, તેમની પ્રાર્થના સાંભળજો. આકાશમાંથી તેમનું સાંભળીને તેમને વિજય અપાવજો.


પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો.


“મેં મારા દયને શુદ્ધ કર્યું છે, અને હું મારા પાપથી વિમુક્ત થયો છું” એવો દાવો કોણ કરી શકે?


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


તે છૂંદાયેલા બરુને ભાંગી નાખશે નહિ અને હોલવાઈ જવાની તૈયારીમાં હોય તેવી દિવેટને બૂઝાવી દેશે નહિ. તે સૌનો સમાન અને સાચા ધોરણે ન્યાય કરશે.


જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


“જો કોઈ માણસની ચામડી પર સોજો આવે, ચાંદું પડે કે ચળકતું દેખાય અને તેમાંથી કોઈ ભયંકર ચર્મરોગની શક્યતા લાગે તો તેને યજ્ઞકાર આરોન અથવા તેના પુત્રો પાસે લઈ જવો.


સાતમે દિવસે યજ્ઞકાર તેને ફરીથી તપાસે. તેનો ડાઘ એવો ને એવો જ હોય અને વધુ પ્રસર્યો ન હોય તો તેને બીજા સાત દિવસ અલગ રાખવો.


પરંતુ શુદ્ધિકરણને માટે તે યજ્ઞકાર પાસે આવી તપાસ કરાવે. તે પછી પણ તેનો ડાઘ વધતો જ જાય તો તેણે ફરીથી યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી.


પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.


તમારામાં જે વિશ્વાસમાં નબળો હોય, તેનો સ્વીકાર કરો. તેના અંગત અભિપ્રાયો અંગે તેની સાથે વાદવિવાદ ન કરો.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


પણ તમે તો બેવફા નીવડીને તેમને દગો દીધો છે, તમે તો નઠારાં સંતાન છો, તમે તો કુટિલ અને વાંકી પેઢીના છો.


તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે.


Lean sinn:

Sanasan


Sanasan