Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:29 - પવિત્ર બાઇબલ C.L.

29 “જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથા પર કે હડપચી પર ચાંદું હોય તો યજ્ઞકારે તેની તપાસ કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને જો કોઈ પુરુષ કે સ્‍ત્રીને માથે કે દાઢીએ રોગ હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “જો કોઈ પુરુષ કે સ્ત્રીના માંથા પર કે દાઢી એ પર રોગ હોય

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:29
19 Iomraidhean Croise  

એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”


“તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે,


તમારા ઇઝરાયલી લોકમાંથી કોઈપણ વ્યક્તિ દુ:ખિત દયે આ મંદિર તરફ હાથ પ્રસારી જે કંઈ આજીજી કે પ્રાર્થના કરે,


એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો.


આ ભ્રષ્ટાચારીઓ કાંઈ જ સમજતા નથી. અને તેઓ કદી ઈશ્વરને પ્રાર્થના પણ કરતા નથી. જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે!


તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.


લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ.


પરંતુ જો ચાઠું એવું ને એવું જ હોય, ચામડીમાં વધુ પ્રસર્યું ન હોય અને ઝાંખું પડેલું દેખાય તો તે દાઝી ગયાને લીધે જ છે. યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો; કારણ, તે ચાઠું દાઝી ગયાને લીધે પડેલું છે.


જો તે ચામડી કરતાં ઊંડું હોય અને ત્યાંના વાળ પીળા અને આછા થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તે ઊંદરીનો રોગ છે. તે એક જાતનો માથા કે હડપચીનો રોગ છે.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


પણ જો તમારી આંખ મલિન હોય તો તમારું સમગ્ર શરીર અંધકારરૂપ રહેશે. તેથી તમારામાં જે પ્રકાશ છે તે અંધકારમય હોય તો તે કેવો ઘોર અંધકાર હશે!


Lean sinn:

Sanasan


Sanasan