Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “જ્યારે તેનાં પુત્ર કે પુત્રીના કિસ્સામાં શુદ્ધિકરણનો દિવસ આવે ત્યારે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યજ્ઞકાર પાસે દહનબલિ તરીકે એક વર્ષનો ઘેટો અને પ્રાયશ્ર્વિતબલિ તરીકે કબૂતર કે હોલાનું બચ્ચું લાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જ્યારે પુત્રને લીધે કે પુત્રીને લીધે તેના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય, ત્યારે તે દહનીયાર્પણને માટે પહેલા વર્ષનું એક હલવાન, તથા પાપાર્થાર્પણને માટે કબૂતરનું બચ્ચું અથવા એક હોલો મુલાકાતમંડપના બારણા આગળ યાજકની પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જ્યારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરો થાય ત્યારે પુત્રી અથવા પુત્રની માતાએ દહનીયાર્પણ માટે એક વર્ષનું ઘેટાંનું બચ્ચું અને પાપાર્થાર્પણ માટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકની પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “તે પછી જયારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરોથાય ત્યારે એક છોકરી અથવા છોકરાની નવી માંતાએ દહનાર્પણ માંટે એક વર્ષનું ઘેટાનું બચ્ચું અને પાપાર્થાર્પણ માંટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકને આપી દેવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 12:6
15 Iomraidhean Croise  

પ્રભુએ તેને કહ્યું, “તું મારી પાસે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ.”


“તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે કહો: જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને પુત્રને જન્મ આપે તો પ્રસૂતિ પછી સાત દિવસ સુધી સ્ત્રી વિધિગત રીતે અશુદ્ધ ગણાય. ઋતુસ્રાવના નિયમની જેમ જ તે અશુદ્ધ ગણાય.


“જો પુત્રી જન્મે તો ચૌદ દિવસ સુધી તે ઋતુસ્રાવના સમયની માફક જ અશુદ્ધ ગણાય અને તેના રક્તસ્રાવ સંબંધી છાસઠ દિવસ પછી તેનું શુદ્ધિકરણ થાય.


યજ્ઞકાર પ્રભુને બલિદાન ચડાવી સ્ત્રીને માટે અશુદ્ધતા દૂર કરવા પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે સ્ત્રી તેના રક્તસ્રાવના સંબંધમાં વિધિગત રીતે શુદ્ધ થએલી ગણાય. પ્રસૂતા માટે આ નિયમ છે.


તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં.


આઠમે દિવસે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લઈને પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવી યજ્ઞકારને આપવાં.


આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તે યજ્ઞકારને આપવાં.


આઠમે દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યજ્ઞકાર પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.


મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા આદેશ પ્રમાણે શુદ્ધિકરણનો વિધિ કરવાનો સમય આવ્યો. તેથી ઈશ્વરને અર્પણ કરવા માટે તેઓ છોકરાને યરુશાલેમ લઈ ગયા.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan