Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:39 - પવિત્ર બાઇબલ C.L.

39 “જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે, તેઓમાંનું કોઈ મરી જાય, તો જે કોઈ તેના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:39
18 Iomraidhean Croise  

પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


“જો કોઈ આ પ્રાણીઓના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ફાટેલી ખરીવાળાં પણ પગમાં ચિરાયેલાં ન હોય, વાગોળતાં ન હોય અને પંજા પર ચાલતાં હોય એવાં ચોપગાં પ્રાણીઓ અશુદ્ધ છે. જે કોઈ તેમનાં શબનો સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખવાં. છતાં સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પણ જો બિયારણ પાણીમાં પલાળેલું હોય અને તે પર શબ પડે તો તેને અશુદ્ધ ગણવું.


જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો.


જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે,


જે કોઈ તેનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે માણસ અઝાઝેલ માટેના બકરાને વેરાનપ્રદેશમાં મૂકી આવે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને તે પછી જ છાવણીમાં આવવું.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય.


“જો કોઈ આરોનવંશી યજ્ઞકારને રક્તપિત્ત કે સ્રાવનો રોગ હોય તો તે પાછો વિધિગત રીતે શુદ્ધ થયા વગર પવિત્ર અર્પણોમાંથી કંઈ ખાય નહિ.


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું.


“જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


Lean sinn:

Sanasan


Sanasan