Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:32 - પવિત્ર બાઇબલ C.L.

32 જે કંઈ એમના શબને અડકે તે અશુદ્ધ ગણાય. એટલે લાકડાંની, કપડાંની, ચામડાંની કે તારની વસ્તુ પણ અશુદ્ધ ગણાય; પાણીથી તેને ધોઇ નાખવી અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તેઓમાંના કોઈનું મુડદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લૂગડું કે ચામડું કે ટાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ત્યાર પછી તે શુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈપણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા તાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું; તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે શુદ્ધ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “જે કોઈ વસ્તુ ઉપર એમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. એવી કોઈ પણ લાકડાની અથવા કપડાંની અથવા ચામડાની અથવા કંતાનની નિત્યના વપરાશની વસ્તુને પાણીમાં ધોઈ નાખવી. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તેનો ઉપયોગ થઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:32
12 Iomraidhean Croise  

જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જો સ્રાવવાળો માટીના પાત્રનો સ્પર્શ કરે તો તેને ફોડી નાખવું અને લાકડાનાં પાત્રનો સ્પર્શ કરે તો તેને પાણીથી ધોઈ નાખવું.


યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો.


જે માણસ અઝાઝેલ માટેના બકરાને વેરાનપ્રદેશમાં મૂકી આવે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને તે પછી જ છાવણીમાં આવવું.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય.


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


માટીના જે પાત્રમાં તે બાફવામાં આવે તેને ભાંગી નાખવું અને જો તે તાંબાના પાત્રમાં બફાયું હોય તો તે પાત્રને માંજીને વીછળી નાંખવું.


તંબૂમાંનું ઢાંકણા વગરનું દરેક ઉઘાડું પાત્ર અશુદ્ધ ગણાય.


ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.


Lean sinn:

Sanasan


Sanasan