યહોશુઆ 5:7 - પવિત્ર બાઇબલ C.L.7 એ માણસોના પુત્રોની તો સુન્નત થઈ નહોતી અને એ નવી પેઢીની યહોશુઆએ સુન્નત કરી. મુસાફરી દરમ્યાન તેમની સુન્નત થઈ ન હોવાથી તેઓ સુન્નતરહિત હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓને સ્થાને તેઓના જે દીકરાઓને તેમણે ઊભા કર્યા હતા, તેઓની સુન્નત મુસાફરીમં થઈ નહોતી, માટે તેઓ બેસુન્નત હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓને સ્થાને યહોવાહે તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી. Faic an caibideil |
કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.