Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હવે યહોશુઆએ તેમની સુન્‍નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહોશુઆએ સુન્‍ન કરી તેનું કારણ એ હતું કે, મિસરમાંથી નીકળેલા સર્વ લોકોમાં જે પુરુષો હતા તેઓ, એટલે યુદ્ધ કરનારા સર્વ માણસો, મિસરમાંથી નીકળ્યા પછી રસ્તામાં અરણ્યમાં મરણ પામ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે, જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે:

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 5:4
8 Iomraidhean Croise  

આ બધું બન્યા છતાં તેમનામાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્‍ન ન હતા. આથી તેમનાં શબ રણપ્રદેશમાં જુદી જુદી જગ્યાએ પડયાં.


આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી;


“હવે લોકમાંના સર્વ યોધાઓ મરી પરવાર્યા તે પછી પ્રભુએ મને કહ્યું, ‘આજે તમે આર નગરની નજીક મોઆબની સરહદ ઓળંગવાના છો.


તેથી યહોશુઆએ ચકમકના પથ્થરોની છરીઓ બનાવીને ‘ગિબ્યાથ હારાલોથ’ એટલે ‘સુન્‍નત-ટેકરી’ પર ઇઝરાયલી પુરુષોની સુન્‍નત કરી.


ઇજિપ્તમાંથી નીકળેલા એ બધા પુરુષોની તો સુન્‍નત થયેલી હતી, પણ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી રણપ્રદેશમાં જન્મેલા છોકરાઓની સુન્‍નત થઈ નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan