Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ફિનહાસ યજ્ઞકાર અને તેની સાથે ગયેલા ઇઝરાયલી સમાજના આગેવાનો, એટલે પશ્ર્વિમ તરફનાં કુળોના ગોત્રોના વડાપુરુષો રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોનાં લોકોનો ખુલાસો સાંભળીને સંતોષ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાનાપુત્રોએ જે વચન કહ્યાં, તે ફીનહાસ યાજકે અને તેની સાથે પ્રજાના જે આગેવનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યાં, ત્યારે તેઓને બહુ સારું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જયારે તેઓની સાથેના ફીનહાસ યાજકે લોકોના આગેવાનોએ અને ઇઝરાયલના કુટુંબનાં વડાઓએ રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાએ જે વચનો કહ્યાં તે સાંભળ્યાં ત્યારે તેઓને સારું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 જ્યારે યાજક ફીનહાસ તથા ઇસ્રાએલી આગેવાનોએ રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશના લોકોએ જે કહ્યું તે સાંભળીને તેઓને સંતોષ થયો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:30
11 Iomraidhean Croise  

તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી.


રાજાને અને લોકોને એ વ્યવસ્થા પસંદ પડી.


રાજા અને તેમના અધિકારીઓને આ અભિપ્રાય ગમી ગયો અને રાજાએ મમૂખાનના સૂચવ્યા પ્રમાણે કર્યું.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”


અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.”


એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”


ઇઝરાયલીઓને એથી સંતોષ થયો અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તે પછી તેમણે રૂબેન અને ગાદના વસવાટના પ્રદેશને ખેદાનમેદાન કરી નાખવા ચડાઈ કરવાની વાત કરી નહિ.


છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો.


આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan