Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:29 - પવિત્ર બાઇબલ C.L.

29 અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અમારા ઈશ્વર યહોવાના મંડપની સામે જે તેમની વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞ ને માટે બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ, ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી ન થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અમારા પ્રભુ યહોવાહનાં મંડપની સામે તેમની જે વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણની વેદી, ખાદ્યાર્પણને સારુ કે બલિદાનને સારુ બીજી કોઈ વેદી બાંધીને યહોવાહનો દ્રોહ કરીએ તથા યહોવાહનાં અનુસરણથી પાછા વળી જઈએ, એવું અમારાથી કદી ન થાઓ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “યહોવાના પવિત્રમંડપ આગળની વેદી સિવાયના બીજી વેદી પર દહનાર્પણ કે ખાદ્યાર્પણ ચડાવવા માંટે બાંધીને અમાંરો ઈરાદો યહોવા વિરૂદ્ધ બંડ કરવાનો કે તેનાથી વિમુખ થઈ જવાનો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:29
16 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.”


તેમણે તેને જવાબ આપ્યો, “શું કહો છો, સાહેબ? અમે તમારા દાસો તો એવું કરવાનો વિચાર સરખોય શા માટે કરીએ?


નાબોથે જવાબ આપ્યો, “પ્રભુ સમક્ષ હું એવું અઘોર કામ શી રીતે કરું? એ વાડી તો મારા પૂર્વજો પાસેથી મને વારસામાં મળેલી છે!”


મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?


તેણે પ્રભુની ભક્તિનાં ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી નંખાવ્યાં છે અને યહૂદિયા તથા યરુશાલેમના લોકોને એક જ વેદી આગળ ભજન કરવાનું અને ધૂપ બાળવાનું કહ્યું છે.


ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે?


ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ?


તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વર અન્યાયી છે? કદી નહિ.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો.


તેથી અમે એકબીજાને કહ્યું, ‘આપણે આ વેદી બાંધીએ; દહનબલિ કે અર્પણો ચડાવવા નહિ.


વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’


ફિનહાસ યજ્ઞકાર અને તેની સાથે ગયેલા ઇઝરાયલી સમાજના આગેવાનો, એટલે પશ્ર્વિમ તરફનાં કુળોના ગોત્રોના વડાપુરુષો રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોનાં લોકોનો ખુલાસો સાંભળીને સંતોષ પામ્યા.


લોકોએ જવાબ આપ્યો, “અમે પ્રભુનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરીએ એવું ન થાઓ.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan