Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:24 - પવિત્ર બાઇબલ C.L.

24 હકીક્તમાં, અમે એટલા માટે એવું કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમારા વંશજો અમારા વંશજોને આવું કહે: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સાથે તમારે શું લાગેવળગે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે, રખેને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગેવળગે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવાહ સાથે તમારો શો લાગભાગ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે?

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:24
7 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


તમે પાછળથી મારા વેતન તરીકે મળેલાં ઘેટાંબકરાંની તપાસ કરવા આવશો ત્યારે મારી પ્રામાણિક્તા પુરવાર થશે. મારી પાસેનાં ઘેટાંબકરાંમાંથી કોઈ બકરું ચટાપટાવાળું કે ટપકાંવળું ન હોય અને કોઈ ઘેટું કાળું ન હોય તો તે ચોરેલું છે તેમ ગણાશે.”


ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા.


“ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?”


જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો.


પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે.


એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan