Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ ગિલ્યાદમાં રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના લોકો પાસે ગયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળની પાસે આવ્યા અને તેઓને કહ્યું:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેઓ રૂબેનના, ગાદના અને અર્ધા મનાશ્શાની ટોળીના લોકો પાસે ગિલયાદમાં ગયા અને તેમણે કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:15
31 Iomraidhean Croise  

યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?”


તે સમયથી આજ સુધી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશની વિરુદ્ધમાં જ રહ્યા છે.


તેણે પ્રભુની વિરુદ્ધ બંડ પોકાર્યું ત્યારથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ કોઈને કોઈ કાવતરું ઘડાતું. છેવટે તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના શત્રુઓએ તેનો પીછો કર્યો અને તેને મારી નાખ્યો.


તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.”


તેમણે કહ્યું, “એ કેદીઓને અહીં આપણા દેશમાં લાવશો નહિ. એમ કરવાથી તો આપણે પ્રભુ સમક્ષ ગુનેગાર ઠરીશું અને આપણાં પાપોમાં વધારો કરીશું. આમેય આપણે પ્રભુ સમક્ષ અપરાધી ઠરી ચૂક્યા છીએ અને ઇઝરાયલ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો છે.”


હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.”


તેમણે એ લોકોની પુત્રીઓને પોતાની તથા પોતાના પુત્રોની પત્નીઓ તરીકે સ્વીકારી છે. આમ, ઈશ્વરના પવિત્ર લોકો ત્યાંના લોકો સાથે ભેળસેળ થઈ ગયા છે. એ અપરાધમાં મુખ્યત્વે આગેવાનો અને અધિકારીઓએ જ પહેલ કરી છે.”


વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો.


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


“પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે


પ્રભુની વિરુદ્ધ તેણે કરેલા પાપ માટેનો એ દોષનિવારણ બલિ છે.”


જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.”


જો તમે હવે પ્રભુને અનુસરવાનું મૂકી દેશો તો આ બધાંને તે રણપ્રદેશમાં તજી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”


“તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે.


હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ.


ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો.


તેથી તમે એકત્ર થાઓ ત્યારે હું ય આત્મામાં તમારી સાથે હોઈશ.


પણ જો તમારું હૃદય ભટકી જાય, અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરશો;


કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


ઇઝરાયલી લોકોએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શીલોમાં આખો સમાજ પૂર્વ તરફનાં કુળો સામે યુદ્ધ કરવા એકઠો થયો.


પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો.


અને પ્રભુના સમસ્ત સમાજ તરફથી તેમને કહ્યું, “તમે ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ આવો અપરાધ કેમ કર્યો છે? તમારે માટે આ વેદી બાંધીને તમે તેમની સામે વિદ્રોહ કર્યો છે! તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું છે!


તમે હવે પ્રભુને અનુસરવાનો નકાર કરશો? તમે આજે પ્રભુ વિરુદ્ધ બંડ કરો છો અને આવતીકાલે તે સમસ્ત ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે.


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan