Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:1 - પવિત્ર બાઇબલ C.L.

1 લેવી વંશના કુટુંબોના આગેવાનો યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં કુટુંબોના આગેવાનો પાસે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે એલાઝાર યાજક પાસે તથા નૂનના પુત્ર યહોશુઆ પાસે ને ઇઝરાયલ પ્રજાનાં કુળોના વંશના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યાં;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:1
9 Iomraidhean Croise  

કારણ, તેમણે પોતાના ક્રોધાવેશમાં માણસોને મારી નાખ્યા છે; પોતાના ઉન્માદમાં તેમણે આખલાની નસ કાપી નાખી છે. ધિક્કાર છે તેમના ક્રોધને, કારણ, તે વિકરાળ છે. ધિક્કાર છે તેમના રોષને, કારણ, તે ઘાતકી છે. હું તેમને યાકોબના કુટુંબમાં ફેલાવી દઈશ, હું તેમને ઇઝરાયલી લોકોમાં વિખેરી નાખીશ.


કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.


આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા.


મોઆબના મેદાનમાં યરીખોની પાસે યર્દનને સામે કિનારે પ્રભુએ મોશેને કહ્યું,


ઇઝરાયલીઓએ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને હિસ્સો કાઢી આપવાનો છે. જે કુળની પાસે વધારે વિસ્તાર હોય તેમનામાંથી વધારે નગરો લેવાં ને જેમની પાસે ઓછો વિસ્તાર તેમનામાંથી ઓછાં નગરો લેવાં. પ્રત્યેક કુળને જેટલો વારસો મળે તેના પ્રમાણમાં તેમણે લેવીઓને નગરો કાઢી આપવાનાં છે.”


ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.


તેમણે યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ તથા આગેવાનો પાસે જઈને કહ્યું હતું, “પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી કે અમારા સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે અમને પણ પ્રદેશમાં હિસ્સો આપવો.” તેથી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમને પણ તેમના સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે પ્રદેશ ફાળવી આપવામાં આવ્યો.


એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી.


Lean sinn:

Sanasan


Sanasan