Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:31 - પવિત્ર બાઇબલ C.L.

31 વળી, તેમાં અર્ધા ગિલ્યાદનો તેમજ બાશાનના રાજા ઓગનાં પાટનગર આશ્તારોથ અને એડ્રેઈનો સમાવેશ થતો હતો. એ પ્રદેશ મનાશ્શાના પુત્ર માખીરના અર્ધા ગોત્રને આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઈ, બાશાનમાં ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શાના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે, માખીરપુત્રોના અર્ધાભાગને માટે હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:31
14 Iomraidhean Croise  

ગેર્શોનના ગોત્રનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચરો સહિત આપ્યાં: પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશમાં બાશાનમાં આવેલ ગોલાન અને આશ્તારોથ.


ગિલ્યાદનો પ્રદેશ મારો છે અને મનાશ્શાનો પ્રદેશ પણ મારો છે. એફ્રાઈમનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે.


રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો.


આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.


તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો.


આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા;


કારણ, તેમના સ્ત્રીવંશજોને પણ પુરુષવંશજોની સાથે સાથે પ્રદેશની ફાળવણી કરવામાં આવી. ગિલ્યાદનો પ્રદેશ મનાશ્શાના બાકીના વંશજોને ફાળવી દેવામાં આવ્યો હતો.


વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


ગિલ્યાદના લોકો યર્દનની પૂર્વમાં રહ્યા અને દાનનું કુળ વહાણો પાસે જ રહ્યું. આશેરનું કુળ દરિયાકિનારે રહ્યું; તેઓ કિનારાના પ્રદેશમાં જ રહ્યા.


પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan