Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેણે કહ્યું, “મને દરિયામાં ફેંકી દો એટલે તે શાંત થઈ જશે. મને ખબર છે કે મારે લીધે જ તમારા પર આ ભયંકર આફત આવી પડી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેણે તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો; એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે; કેમ કે હું જાણું છું કે મારે કારણે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચડીને દરિયામાં તેને શાંત કરવા માટે નાખી દો. કારણ મને ખબર છે કે મારે કારણે તમે આ શકિતશાળી વાવાઝોડામાં સપડાયા છો.”

Faic an caibideil Dèan lethbhreac




યૂના 1:12
10 Iomraidhean Croise  

લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.”


દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.”


તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે.


યુદ્ધનાં શસ્ત્રો કરતાં બુદ્ધિ ચડિયાતી છે. પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.


દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?”


એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ.


આખી પ્રજાનો નાશ થાય તે કરતાં એક વ્યક્તિ બધા લોકોને બદલે મરે તે તમારા હિતમાં છે, એમ તમને નથી લાગતું?”


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan