Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે મારું સોનુંરૂપું પચાવી પાડયું છે અને મારો સમૃદ્ધ ખજાનો તમારા દેવમંદિરોમાં ઢસડી ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે મારું સોનુંરૂપું લઈ લીધું છે, ને મારી સુંદર કિંમતી વસ્તુઓ તમારાં મંદિરોમાં લઈ ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે, તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે મારાં સોનાચાંદી લઇ લીધાં છે, તથા મારું સર્વ કિંમતી દ્રવ્ય તમારા મંદિરોમાં તમે ઉપાડી ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:5
15 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા યોઆશે તેના પુરોગામી રાજાઓ યહોશાફાટ, યહોરામ, અને અહાઝયાએ પ્રભુને સમર્પિત કરેલાં સર્વ અર્પણો, વળી, તેણે પોતે આપેલાં સર્વ અર્પણો અને પ્રભુના મંદિરના તથા મહેલના ખજાનામાંથી સઘળું સોનું લઈને અરામના રાજા હઝાએલ પર ભેટ મોકલી. તેથી તે યરુશાલેમ પરથી પોતાનું સૈન્ય લઈ જતો રહ્યો.


આહાઝે પ્રભુના મંદિરમાંથી અને મહેલની તિજોરીમાંથી સોનુંચાંદી લઈને તે આશ્શૂરના સમ્રાટને ભેટમાં મોકલી આપ્યું.


અને તે પ્રભુના મંદિર તથા રાજમહેલનો સઘળો ખજાનો બેબિલોન લઈ ગયો. પ્રભુએ અગાઉથી જણાવ્યું હતું તેમ શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલાં સોનાનાં સઘળાં પાત્રો ભાંગી નાખ્યાં.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


પ્રભુ કહે છે, “એવો પણ સમય આવશે જ્યારે લોકો શપથ લેતાં ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ નહિ કહે,


બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે.


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’


પણ તેને બદલે તે કિલ્લાઓના દેવોનું સન્માન કરશે. તેના પૂર્વજોએ જેમની ક્યારેય પૂજા કરી નહોતી એવા દેવોને તે સોનું, રૂપું, ઝવેરાત, અને અન્ય મનોહર ભેટોનું અર્પણ કરશે.


“પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.


Lean sinn:

Sanasan


Sanasan