Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 શું ઈશ્વર ન્યાયને કદી મચડે છે? શું સર્વસમર્થ ઈનસાફને વિકૃત કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શું ઈશ્વર ન્યાય ઉલટાવી નાખે છે? કે, ‍ શું સર્વશક્તિમાન ઈનસાફ ઊંધો વાળે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 8:3
29 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”


જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


મારા પરના જુલમ વિષે હું બૂમ પાડું છું, પણ કોઈ સાંભળતું નથી; હું મદદ માટે પોકાર કરું છું, પણ ન્યાય મળતો નથી.


સર્વસમર્થ વળી કોણ છે કે અમે તેમની સેવા કરીએ, અને તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ?’


તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.


કારણ, યોબ કહે છે, ‘હું નિર્દોષ છું, પણ ઈશ્વરે મારો હક્ક છીનવી લીધો છે;


સાચે જ ઈશ્વર દંભીઓની બૂમ સાંભળતા નથી અને સર્વસમર્થ તે પર લક્ષ આપતા નથી.


તેમનું આચરણ કોણ ઠરાવી શકે? અને ‘તમે ખોટું કર્યું’ એમ તેમને કોણ કહી શકે?


હું દૂરદૂરથી બહુવિધ જ્ઞાન સંપાદન કરીને મારા સર્જક ઈશ્વરને સાચા પુરવાર કરીશ.


સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.


મર્ત્ય માનવ ઈશ્વરની સમક્ષ નેક ઠરી શકે? અથવા કોઈ માણસ તેના સર્જક આગળ વિશુદ્ધ હોઈ શકે?


“સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”


મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ?


અલબત્ત, એ બધું તો હું જાણું છું, પરંતુ માણસ ઈશ્વર સમક્ષ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?


નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.


હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે.


“આમ છતાં તમે કહો છો કે પ્રભુનો વ્યવહાર વ્યાજબી નથી. હે ઇઝરાયલીઓ, સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી? વ્યવહાર તો તમારો ગેરવાજબી છે.


“તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ પરંતુ હકીક્તમાં તો તેમનું પોતાનું આચરણ યથાર્થ નથી.


છતાં, હે ઇઝરાયલીઓ, તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ હું તો તમારામાંના દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.”


હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે હમેશા ન્યાયથી વર્તો છો. અમે તમારું માન્યું નથી તેથી અમને સજા કરવાની તમે તૈયારી રાખી હતી અને યોગ્ય સમયે અમને સજા પણ કરી છે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


પછી મેં વેદીનો પ્રતિભાવ પણ સાંભળ્યો: “હા પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ચુકાદા ખરેખર સાચા અને ન્યાયી છે!”


Lean sinn:

Sanasan


Sanasan