Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:13
22 Iomraidhean Croise  

જ્યાંથી હું કદી પાછો ફરવાનો નથી, એવા અંધકાર અને ગમગીનીના;


જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.”


તમે માણસને કચડી નાખો છો એટલે તે ખતમ થઈ જાય છે. તમે તેના ચહેરાને વિકૃત કરો છો અને ધકેલી દો છો.


કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું.


પરંતુ મૃત્યુલોક શેઓલ જ મારું ઘર બને એવી આશા મેં રાખી હોય, અને મેં મારું બિછાનું અંધકારમાં જ બિછાવ્યું હોય;


મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે;


હું તેમને જાતે જ નિહાળીશ; પારકી નહિ, પણ મારી પોતાની જ આંખો તેમનાં દર્શન કરશે. એ વિચાર માત્રથી મારા પેટમાં ધ્રાસકો પડે છે!


દુષ્ટો તેમની જિંદગી આબાદીમાં વિતાવે છે, અને સ્વસ્થતાથી મૃત્યુલોક શેઓલમાં ઊતરી જાય છે.


કેટલાક લોકો મૃત્યુના દિવસ સુધી તંદુરસ્તી ભોગવે છે, અને અંત સુધી સુખચેનમાં જીવે છે.


પરંતુ એ બધા જ એક સરખી રીતે ધૂળ ભેગા થાય છે. અને કીડાઓ તેમને ઢાંકી દે છે!


જેમ ગરમી અને અનાવૃષ્ટિમાં બરફનાં પાણી પણ શોષાઈ જાય છે, તેમ મૃત્યુલોક શેઓલ પાપીઓને ગળી જાય છે.


દુષ્ટને તેની જનેતા પણ ભૂલી જાય છે; કીડા તેને કોતરી ખાય છે, કોઈ તેને યાદ કરતું નથી અને સડેલા વૃક્ષની જેમ તે નાશ પામે છે.


“મૃતકોની દુનિયામાં રહેતા મૃતાત્માઓ કાંપે છે, મહાસાગરો અને તેમાં રહેનારાં ધ્રૂજે છે.


ઈશ્વર સમક્ષ મૃત્યુલોક શેઓલ ખુલ્લું છે. અને અધોલોક અબાદ્દોનને કંઈ ઢાંકણ નથી.


શા માટે મારી જનેતાએ મને ખોળામાં રમાડયો? શા માટે તેણે મને સ્તનપાન કરાવ્યું?


એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે.


શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.”


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan