Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 22:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેં સહાય માટે આવેલી વિધવાઓને ખાલી હાથે પાછી કાઢી છે, અને અનાથો પર અત્યાચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેં વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે, અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે. તમે કદાચ અનાથોને છેતર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 22:9
20 Iomraidhean Croise  

કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી.


તેઓ અનાથોનાં ગધેડાં હાંકી જાય છે અને વિધવાના બળદને ગીરવે રાખે છે.


નગરપંચમાં મારી વગને લીધે જો મેં અનાથ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોય;


તમે તો અનાથને માટે ચિઠ્ઠીઓ નાખો એવા છો; અરે, મિત્રોને પણ વેચી મારો તેવા છો!


હે પ્રભુ, તમે દુષ્ટ અને દુરાચારીઓની શક્તિ તોડી પાડો, તેમનાં દુષ્ટ કૃત્યો માટે તેમને એવી સજા કરો કે તેઓ દુષ્ટતા આચરતા અટકી જાય!


કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે.


તેઓ વિધવાઓ અને દેશમાં વસતા પરદેશીઓને હણી નાખે છે; તેઓ અનાથોની હત્યા કરે છે.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો.


મોઆબની સત્તા તોડી પાડવામાં આવી છે અને તેનું બાહુબળ નષ્ટ કરવામાં આવ્યું છે. હું પ્રભુ આ બોલું છું.


નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે.


એ માટે હું, પ્રભુ પરમેશ્વર કહું છું કે હું ઇજિપ્તના રાજા ફેરોની વિરુદ્ધ છું, હું એનો સાજો અને ભાંગી ગયેલો એમ બન્‍ને હાથ ભાંગી નાખીશ અને એના હાથમાંથી તલવાર નીચે પડી જશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.]


‘પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan