Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 10:21 - પવિત્ર બાઇબલ C.L.

21 જ્યાંથી હું કદી પાછો ફરવાનો નથી, એવા અંધકાર અને ગમગીનીના;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી‍ શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં, એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી ત્યાં હું જાઉ તે પહેલા મારી પાસે જે થોડો સમય બચ્યો છે તેનો આનંદ મને માણી લેવા દો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 10:21
21 Iomraidhean Croise  

પણ હવે તે મૃત્યુ પામ્યું છે તો પછી મારે શા માટે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું તેમ છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું આવવાનું નથી.”


આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.


જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.”


કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું.


પરંતુ મૃત્યુલોક શેઓલ જ મારું ઘર બને એવી આશા મેં રાખી હોય, અને મેં મારું બિછાનું અંધકારમાં જ બિછાવ્યું હોય;


નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત.


એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો.


એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે.


શું મૃત્યુલોકનાં દ્વાર કોઈએ તને બતાવ્યાં છે? કે અંધકારપ્રદેશનું પ્રાંગણ તેં જોયું છે?


મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે.


હું અહીંથી ચાલ્યો જાઉં અને હતો ન હતો થઈ જાઉં, તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી ઉઠાવી લો; જેથી હું થોડીક રાહતનો દમ લઈ શકું!


મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે.


હે પ્રભુ, હું તમને અરજ કરું છું; રોજ સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો.


તમે મને અતિ ઊંડા ગર્તમાં ધકેલી દીધો છે, અને ઘોર અંધારિયા અને ઊંડા ખાડામાં હડસેલી દીધો છે.


જો કોઈ માણસ ઘણા વર્ષ જીવે તો તેણે તે બધાં વર્ષોમાં આનંદ કરવો, પરંતુ તેણે સ્મરણમાં રાખવું કે અંધકારના દિવસો ઘણા છે. જે કંઈ થાય છે તે મિથ્યા છે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


મને થયું કે હવે હું જીવતાઓની દુનિયામાં પ્રભુને જોઈશ નહિ. આ દુનિયા પર વસતા કોઈ માણસને હવેથી હું જોઈ શકીશ નહિ.


તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?


Lean sinn:

Sanasan


Sanasan